/*----------------------------------------------------- Script for AdSense -----------------------------------------------------*/ /* */ /* Footer ----------------------------------------------- */ #footer { clear: both; text-align: center; color: #333333; } #footer .widget { margin:.5em; padding-top: 20px; font-size: 85%; line-height: 1.5em; text-align: left; } /** Page structure tweaks for layout editor wireframe */ body#layout #header { width: 750px; } -->

Monday, January 25, 2010

Examplary Life


નાનપણથી સંઘર્ષ કરીને જેણે ઉંમરના આઠ દાયકા વિતાવ્યા હોય એવી મહિલા 81મા વર્ષે શું કરતી હોય, એવો પ્રશ્ન જો કોઈને પૂછીએ તો એવો જવાબ મળે કે આ ઉંમરે મહિલા બહુબહુ તો પ્રભુભજનમાં સમય વ્યતિત કરતી હોય, સવારસાંજ દેવદર્શને જતી હોય, પોતાનાં પૌત્રો-દૌહિત્રોને રમાડતી હોય અને એ રીતે સમય પસાર કરતી હોય – પણ જો વાત મંદાકિનીબેન દ્રવિડની હોય તો તેમને આ બધું બહુ ઓછું લાગુ પડે છે. સામાન્યપણે 81મા વર્ષે સ્ત્રી જે કંઈ કરતી હોય કે કરી શકતી હોય તેના કરતાં તેઓ કંઈક જુદું જ કરી રહ્યાં છે અને તેઓ જે કંઈ કરી રહ્યાં છે અને કરી શક્યાં છે એ જોઈને માત્ર તેમની ઉંમરની જ નહિ, તેમનાથી ઘણી નાની ઉંમરની મહિલાઓને પણ તેમની ભારોભાર ઈર્ષ્યા આવે તેવું છે. ગયા વર્ષે મંદાકિની દ્રવિડને પૂણે યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.

આ ઉંમરે પી.એચ.ડી. થવું એનો અર્થ શો એ ભાગ્યે જ કોઈને સમજાવવું પડે તેમ છે. તેઓ પોતે આ સિદ્ધિને એક જંગ જીતવા સમાન ગણાવે છે. કારણ કે આ ઉંમરે પી.એચ.ડી. થવું કેટલું મુશ્કેલ હોઈ શકે એ કહાણી તેમની પાસેથી સાંભળીએ તો જ ખ્યાલ આવે.
તેઓ આ થિસિસ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન જ તેમના એકમાત્ર પુત્રનું અવસાન થયું હતું. થિસિસ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા પછી વાઈવા આપ્યા બાદ પણ જાણે એવું લાગતું હતું કે યુનિવર્સિટીનો નિર્ણય આવતાં જાણે યુગો સુધી રાહ જોવી પડશે. મંદાકિનીના કહેવા મુજબ તેમણે 2006માં પોતાનો થિસિસ સબમિટ કર્યો હતો અને 2008ની 8 એપ્રિલે વાઈવા લેવાયો હતો. એ પછી બે માસ વીતી જવા છતાં યુનિવર્સિટી તરફથી કોઈ હિલચાલ ન થતાં ગયા 2008ના જૂનના અંતે તેમણે કંટાળીને બૉર્ડ ઑફ કૉલેજ ઍન્ડ યુનિવર્સિટી ડેવલપમેન્ટના ડિરેક્ટરને એક પત્ર લખ્યો. પછી તેમને જાણવા મળ્યું હતું કે યુનિવર્સિટીમાં સંબંધિત કલાર્કની આળસને કારણે તેમનું કામ ખોરંભે પડ્યું હતું. ડિરેક્ટરને જેવો પત્ર મળ્યો કે તરત આદેશો છૂટ્યા અને મંદાકિની દ્રવિડના થિસિસને માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાઈ ગયો.

મંદાકિની દ્રવિડે તેમનાં ગાઈડ સુનંદા કૌશિકના માર્ગદર્શન હેઠળ ‘મેડિકલ ઍન્ડ સાઈકિયાટ્રિક સોશિયલ પ્રેક્ટિશનર્સ પ્રોસેસ ઍન્ડ એનાલિસિસ’ વિષય પર થિસિસ લખ્યો છે અને વધુ મહત્વની વાત એ છે કે આખો થિસિસ તેમના અંગત અનુભવો પર આધારિત છે અને તેમાંનો એક ફકરો પણ કોઈ સંદર્ભ સામગ્રીમાંથી લેવાયો નથી. આજે પૂણે સ્થિત એન્જિનિયરિંગ અને એનર્જી કંપની ‘થર્મેક્સ’ સાથે કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતાં મંદાકિની કહે છે, ‘મારા ચાલીસ વર્ષના અનુભવોને કારણે થિસિસ પૂરો થઈ શક્યો. મેં જે કંઈ કામ કર્યું છે એ સંપૂર્ણ અધિકૃત છે અને મારાં ગાઈડના સતત પ્રોત્સાહનને કારણે એ બધું શક્ય બની શક્યું છે. તેમણે જ મને કહ્યું કે મારી પાસે જે અનુભવો છે તે કાગળ પર ઊતરવા જોઈએ, જેથી નવી પેઢીને તે કામમાં આવી શકે અને તેમના માટે માર્ગદર્શન રૂપ બની શકે. એટલે આ કામ કરતી વખતે મારી ઉંમર તેમાં જરાય અવરોધક બની નહોતી કારણ કે મારી પાસે જે અનુભવોનું ભાથું છે અને જે કંઈ મારા દિમાગમાં છે એ બધું જ કાગળ પર અવતર્યું છે.’

આફત અને ઉંમર દઢ સંકલ્પને કશું કરી શકતાં નથી એનું મંદાકિની દ્રવિડ જીવંત ઉદાહરણ બની ગયાં છે. પરિસ્થિતિને આધિન કે નસીબમાં માંડ્યું છે તેમ માનીને જીવવાનું તેમણે કદી મંજૂર રાખ્યું નહિ. તેમણે ક્યા સંજોગોમાંથી પસાર થઈને આ સિદ્ધિ મેળવી અને કેવો કેવો સંઘર્ષ કર્યો એ જાણ્યા પછી આ વાત વધુ સારી રીતે સમજી શકાય.

મંદાકિની માત્ર તેર વર્ષનાં હતાં ત્યારે પિતાનું અવસાન થતાં એમને માથે ઘણી મોટી જવાબદારી આવી પડી હતી. લગભગ સાતેક દાયકા પહેલાંના સમાજમાં એક ગરીબ પરિવારની કિશોરીની કલ્પના કરી જુઓ. માતા, બે નાના ભાઈઓ, દાદી અને કાકી એ બધાંનો આધાર આ તેર વર્ષની છોકરી હતી. એ કમાય તો કુટુંબ ખાઈ શકે એવી સ્થિતિ હતી. આથી એણે સ્થાનિક જિલ્લા કલેકટરની કચેરીમાં નોકરી કરવાનું શરૂ કર્યું. ભણવાનું ચાલુ રાખવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં તેણે શાળાને તિલાંજલિ આપવી પડી. એકાદ વર્ષ તો મહિનાના 25 રૂપિયાના પગારે એણે નોકરી કરી. તેની મહેનત જોઈને તેના મામા પ્રભાવિત થયા. તેમણે થોડી આર્થિક મદદ કરવા માંડી એટલે મંદાકિનીએ ફરી ભણવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1945નું એ વર્ષ હતું. તેઓ 16 વર્ષનાં થઈ ચૂક્યાં હતાં એટલે તેમનાં લગ્ન કરી દેવાયાં. તેમનો પતિ હથિયારોની ફેકટરીમાં કામ કરતો હતો. આ લગ્નજીવનના પરિપાક રૂપે 1949માં તેઓ એક પુત્રનાં માતા બન્યાં. તેનું નામ દિલીપ રખાયું. દરમ્યાનમાં તેમના લગ્નજીવનની નાવ સતત હાલકડોલક થતી રહેતી હતી. પુત્રની માતા બન્યા પછી પણ લગ્નજીવનનું ગાડું કોઈ રીતે થાળે પડે એવું ન લાગતાં છૂટાછેડા લઈ લીધા.

1949ના એ વર્ષે જ તેમણે પૂણેની સાસુન હોસ્પિટલમાં જુનિયર કારકુનની નોકરી મેળવી લીધી. તેઓ નોકરીએ જતાં ત્યારે બાળકની સંભાળ દાદી અને માતા રાખતાં. હોસ્પિટલમાં દર્દીઓની પથારીની વ્યવસ્થા સંભાળવાનું કામ કરવા સાથે તેમણે ફરી ભણવાનું ચાલુ કર્યું અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે સ્થાતક થયાં. હોસ્પિટલમાં પોતાના કામ દરમ્યાન તેઓ દર્દીઓની વેદના અને એકલતાના જગતમાં વધુ ઊંડા ઊતર્યાં. તેને એમ થતું કે આ દર્દીઓની માનસિક સ્થિતિનો વિચાર કરવો જોઈએ. માત્ર એમના માટે એલોપથી દવાઓ જ પૂરતી નથી. એ પછી એમણે માનસિક બીમારીથી પીડાતા દર્દીઓના જીવનમાં રસ લેવા માંડ્યો. 1959માં તેમણે બે વર્ષની રજા લીધી અને મુંબઈમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સીઝમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. 1962માં ફરી પાછાં દર્દીઓની વચ્ચે આવેલાં મંદાકિનીને લાગ્યું કે માનસિક રીતે બીમાર દર્દીઓના કિસ્સાઓમાં પશ્ચિમના સિદ્ધાંતો ભારતીય પ્રશ્નોનો પૂરી રીતે ઉકેલ આપી શકે તેમ નથી. એથી તેમણે માનસિક રીતે બીમાર દર્દીઓને કેવી સારવાર આપવી જોઈએ એ વિષે સંશોધન શરૂ કર્યું. તેમના સંપર્કમાં જે દર્દીઓ આવતા તેમની સામાજિક અને પારિવારિક સ્થિતિઓનો પણ તેઓ અભ્યાસ કરતાં ગયાં. તેમના ધ્યાનમાં એવી ઘણી બાબતો આવતી ગઈ જે દર્દીની જે તે બીમારી સાથે દેખીતી રીતે સીધી સંકળાયેલી ન લાગતી હોય પણ કોઈક સ્તરે તે માટે જવાબદાર તો હોય જ.

મંદાકિનીએ 1964માં ગરીબ દર્દીઓને બ્લડ ડોનેશન અને આર્થિક તથા દવાઓની મદદ કરી શકાય તે માટે ‘સોસાયટી ઑફ ધ ફ્રેન્ડઝ ઑફ સાસુન હોસ્પિટલ’ની સ્થાપના કરી. હોસ્પિટલે તેના માટે જરૂરી જગ્યાની વ્યવસ્થા કરી આપી અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેને માટે ફંડ ઊભું કરવા ચેરિટી કાર્યક્રમોનું આયોજન કર્યું અને દાતાઓ પાસે ટહેલ નાંખી. 1965માં ફુલબ્રાઈટ સ્કોલરશિપ મળતાં મંદાકિની છ મહિના અમેરિકા ગયાં. ત્યાં કેલિફોર્નિયામાં ખૂબ સારા પગારે તેમને નોકરીની ઓફર થઈ, પણ તેનો ઈન્કાર કરીને તેઓ સાસુન હોસ્પિટલમાં પરત આવી ગયાં. હોસ્પિટલમાં નવજાત બાળકોને તરછોડી જવાના કિસ્સા વધી રહ્યા છે એ ધ્યાન પર આવતાં 1974માં એક અનાથાલય અને દત્તક કેન્દ્ર ‘શ્રી વત્સ’ શરૂ કરવા તેમણે હોસ્પિટલના સત્તાવાળાઓને સમજાવ્યા. સાસુન હોસ્પિટલમાં મંદાકિની દ્રવિડની સેવાઓની અને પ્રવૃત્તિઓની એવી સુવાસ ફેલાયલી છે કે તેમના વિચારને તરત અમલમાં મૂકી દેવાય છે. આજે ‘શ્રીવત્સ’ પૂણેનું એક અગ્રણી દત્તક કેન્દ્ર બની ગયું છે.

સાસુન હોસ્પિટલમાંથી 1985માં તેઓ નિવૃત્ત થયાં પછી પાર્ટ ટાઈમ કન્સલ્ટન્ટ તરીકે થર્મેક્સમાં જોડાયાં. કંપનીનાં ચેરપર્સન અનુ આગાએ તેમને કહી દીધું છે કે જ્યાં સુધી તેમની ઈચ્છા હોય ત્યાં સુધી તેઓ તેમનું આ કામ ચાલુ રાખી શકે છે. આજે આ કામ કરતાં પણ તેમને લગભગ અઢી દાયકા થવા આવ્યા છે. થર્મેક્સમાં પાર્ટ ટાઈમ જોડાવા સાથે મંદાકિની મુક્તાંગન રિહેબિલિટેશન સેન્ટર ફોર ડ્રગ એડિક્સ, કોઢવા, લેપ્રસી હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલ સાથે પણ કામ કરતાં રહ્યાં. એ દરમ્યાન કંપનીના સેંકડો કર્મચારીઓના દારૂની લતથી માંડીને અનેકવિધ પ્રશ્નો ઉકેલવામાં તેઓ મદદરૂપ થતાં રહ્યાં છે. સુનંદા કૌશિક મંદાકિનીનાં સહાધ્યાયી રહી ચૂક્યાં છે. મંદાકિની 40 વર્ષનો જે અનુભવ ધરાવે છે તેનો ભાવિ પેઢીને પણ લાભ મળે તે માટે થિસિસ લખવા તેમને પ્રેર્યાં. પોતાનું કામ ચાલુ રાખવા સાથે આ નવું કામ પણ શરૂ કરી દીધું. એ દરમ્યાન 2002માં તેમના પુત્રનો કેન્સરે ભોગ લીધો. પુત્રના કસમયના મોતે તેમને હચમચાવી દીધાં, પણ થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ફરી દિવસે થર્મેક્સનું કામ અને રાત્રે થિસિસનું કામ કરવામાં લાગી ગયાં.

તેમનાં ગાઈડ સુનંદા કહે છે, ’81 વર્ષની ઉંમરે કોઈ આવું થકવી નાખનારું કામ કઈ રીતે કરી શકે એ ખરેખર નવાઈની વાત છે, પણ મંદાકિની દ્રવિડ આ કામ કરીને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયાં છે. આ થિસિસમાં માનસિક રીતે બીમાર દર્દીઓની સંભાળના સંદર્ભમાં બાબતો તેમણે આવરી લીધી છે તે એટલી મહત્વની છે કે એક દિવસ એવો પણ આવશે કે આ થિસિસનું વાચન વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવી દેવાશે.’

આજે તેમની પુત્રવધૂ અને બે દૌહિત્રી 24 વર્ષીય સોનિયા અને 20 વર્ષીય મિતાલી મુંબઈમાં રહે છે. જીવનભર બીજાઓને ઉપયોગી થનારી આ મહિલા મંદાકિની દ્રવિડને 81 વર્ષની ઉંમરે એકલતા સાલે છે ખરી ? – જવાબમાં તેઓ કહે છે, જરાય નહિ. મને મારી જ કંપની પૂરતી છે.
Source:Read Gujarati


Read more...

Thursday, January 21, 2010

EATING FRUIT - Guide


We all think eating fruits means just buying fruits, cutting it and just popping it into our mouths. It's not as easy as you think It's important to know how and when to eat..

What is the correct way of eating fruits?
IT MEANS NOT EATING FRUITS AFTER YOUR MEALS! - FRUITS SHOULD BE EATEN ON AN EMPTY STOMACH.

If you eat fruit on an empty stomach, it will play a major role to detoxify your system, supplying you with a great deal of energy for weight loss and other life activities.

FRUIT IS THE MOST IMPORTANT FOOD - Let's say you eat two slices of bread and then a slice of fruit.. The slice of fruit is ready to go straight through the stomach into the intestines, but it is prevented from doing so.


In the meantime the whole meal rots and ferments and turns to acid.. The minute the fruit comes into contact with the food in the stomach and digestive juices, the entire mass of food begins to spoil.
So please eat your fruits on an empty stomach or before your meals! You have heard people complaining - every time I eat water-melon I burp, when I eat durian (fruit from Asia with a foul smell yet delicious flavor) my stomach bloats up, when I eat a banana I feel like running to the toilet etc. - actually all this will not arise if you eat the fruit on an empty stomach. The fruit mixes with the putrefying other food and produces gas and hence you will bloat!

Graying hair, balding, nervous outburst, and dark circles under the eyes - all these will not happen if you take fruits on an empty stomach..

There is no such thing as some fruits, like orange and lemon are acidic, because all fruits become alkaline in our body, according to Dr. Herbert Shelton who did research on this matter. If you have mastered the correct way of eating fruits, you have the Secret of beauty, longevity, health, energy, happiness and normal weight.
When you need to drink fruit juice - drink only fresh fruit juice, NOT from the cans.. Don't even drink juice that has been heated up. Don't eat cooked fruits because you don't get the nutrients at all. You only get to taste.
Cooking destroys all the vitamins.

But eating a whole fruit is better than drinking the juice. If you should drink the juice, drink it mouthful by mouthful slowly, because you must let it mix with your saliva before swallowing it.

You can go on a 3-day fruit fast to cleanse your body. Just eat fruits and drink fruit juice throughout the 3 days and you will be surprised when your friends tell you how radiant you look!

KIWI: Tiny but mighty. This is a good source of potassium, magnesium, vitamin E & fiber. Its vitamin C content is twice that of an orange.

APPLE: An apple a day keeps the doctor away? Although an apple has a low vitamin C content, it has antioxidants & flavonoid which enhances the activity of vitamin C thereby helping to lower the risks of colon cancer, heart attack & stroke.

STRAWBERRY: Protective Fruit. Strawberries have the highest total antioxidant power among major fruits & protect the body from cancer-causing, blood vessel-clogging free radicals.

ORANGE: Sweetest medicine, eating 2 to 4 oranges a day may help keep colds away, lower cholesterol, prevent & dissolve kidney stones as well as lessens the risk of colon cancer.

WATERMELON: Coolest thirst quencher. Composed of 92% water, it is also packed with a giant dose of glutathione, which helps boost our immune system. They are also a key source of lycopene - the cancer fighting oxidant. Other nutrients found in watermelon are vitamin C & Potassium.

GUAVA & PAPAYA: Top awards for vitamin C. They are the clear winners for their high vitamin C content. Guava is also rich in fiber, which helps prevent constipation. Papaya is rich in carotene; this is good for your eyes.

Drinking Cold water after a meal = Cancer! Can you believe this??

For those who like to drink cold water, this article is applicable to you.

It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion.. Once this 'sludge' reacts with the acid, it will break down and be absorbed by the intestine faster than the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal.

A cardiologist says if everyone who gets this mail sends it to 10 people, you can be sure that we'll save at least one life. Read this...It could save your life!

source: one fw email :)

Read more...

નીતિનાશને માર્ગે (ભાગ:1) - ગાંધીજી

[રોજ સવારના અખબારથી લઈને રસ્તા પરના હોર્ડિંગો અને છેક રાત્રી સુધીના ટીવી કાર્યક્રમો સુધી આપણી આંખમાં એવા ઉતેજક દ્રશ્યો નજરે પડે છે જે મનને ક્ષુબ્ધ અથવા વિચલિત તો કરે જ છે સાથે સાથે એટલી હદ સુધી નબળું બનાવી મુકે છે કે આપણને લાગે છે કે ‘આ બધું તો આમ જ હોય !’ પ્રતિકાર કરવાની વાત તો બાજુએ, અજાણતાં જ એનો સ્વીકાર થઈ જાય છે ! પરિણામે સમાજનું માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય છે. આ પ્રકારની નાજુક બાબતોમાં મહાપુરુષોની આંગળી પકડીને ચાલવું વધારે હિતાવહ છે. યુવાનોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ તેજસ્વી તેમજ ઊર્જાવાન બને એ માટે ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં ગાંધીજી એક કોલમ લખતા હતા. તેમના લેખો પરથી ‘નીતિનાશને માર્ગે’ નામનું પુસ્તક 1921 માં પ્રકાશિત થયું હતું. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી. ]

[1] સંયમને શાની જરૂર હોય ?

એક વિવાહ કરવાને ઉમેદવાર થઈ રહેલ ભાઈ મને લખે છે કે : ‘આપ લખો છો કે સંયમના પાલનમાં એકને બીજાની સંમતિની જરૂર ન હોય – શું આ વધારે પડતું નથી ? પત્નીને પણ પોતાના જ્ઞાનમાં ભાગી બનાવી શકે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ ને ? આપનો લેખ ‘પતિનું કર્તવ્ય’ ફરી ફરી વાંચ્યા છતાં હજી ખુલાસો જોઈએ છે. હું હજી અવિવાહિત છું. લગ્ન થોડા વખત પછીથી છે. આપની પાસેથી ખુલાસો મેળવવા લખું છું.’


એ ભાઈને મેં લખ્યું કે : ‘જે સંયમને બીજાની સંમતિની જરૂર હોય તે સંયમ ન ટકી શકે એવો મારો અનુભવ છે. સંયમને જરૂર કેવળ અંતર્નાદની જ હોય છે. સંયમનું જોર હૃદયબળ ઉપર રહેલું છે અને જે સંયમ જ્ઞાનમય અને પ્રેમમય હોય છે, તેની છાપ આસપાસના વાતાવરણ ઉપર પડ્યા વિના રહેતી જ નથી. છેવટે વિરોધ કરનાર પણ અનુકૂળ થાય છે. આવું પતિપત્નીને વિષે પણ છે. પત્ની તૈયાર ન હોય ત્યાં સુધી જો પતિએ રોકાવાપણું હોય, અને જ્યાં સુધી પતિ તૈયાર ન હોય ત્યાં સુધી પત્નીએ રોકાવાપણું હોય, તો ઘણે ભાગે બંને ભોગપાશમાંથી છૂટી જ નહીં શકે. ઘણા દાખલાઓમાં જ્યાં સંયમને સારુ એકબીજાના ઉપર આધાર રખાય છે ત્યાં છેવટે તે ભાંગી પડે છે. તેનું કારણ જ આ મોળાશ છે. વધારે ઊંડે ઊતરીને આપણે તપાસીએ તો માલૂમ પડશે કે જ્યારે એકબીજાની કે બીજાની કે બીજીની સંમતિથી રાહ જુએ છે, ત્યારે ત્યાં સંયમની ખરી તૈયારી નથી અથવા તેને સારુ ખરેખરી ધગશ નથી. તેથી જ નિષ્કુળાનંદે લખ્યું છે કે, ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.’ વૈરાગને જો રાગના સાથની જરૂર હોઈ શકે તો સંયમ પાળવા ઈચ્છનારને ન ઈચ્છનારની સંમતિની જરૂર હોય.

[2] કામરોગનું નિવારણ

વિવાહ વિષેના થર્સ્ટન નામે લેખકના નવા પુસ્તકના મુખ્ય ભાગનો અનુવાદ પરિશિષ્ટમાં છાપ્યો છે તેનું ધ્યાનપૂર્વક મનન દરેક સ્ત્રીપુરુષ કરે એ ઈચ્છવાજોગ છે. આપણામાં પંદર વર્ષના બાળકથી માંડી પચાસ વર્ષના પુરુષમાં અને બાળક અથવા તેથી નાની વયની બાળાથી માંડી પચાસ વર્ષ લગીની સ્ત્રીમાં એવી કલ્પના રહેલી છે કે વિષયભોગ વિના રહી જ ન શકાય. તેથી બંને એની માટે લાલાયિત રહે છે. એકબીજાનો વિશ્વાસ નથી કરતાં અને સ્ત્રીને જોતાં પુરુષ વિષયભોગની દષ્ટિએ આકર્ષિત થઈ જાય છે અને સ્ત્રી પુરુષને જોઈને તેવી થઈ જાય છે. આથી કેટલાક રિવાજો એવા પડી ગયા છે કે જેથી સ્ત્રીપુરુષો નમાલાં, રોગી ને નિરુત્સાહી જોવામાં આવે છે, ને આપણી જિંદગી મનુષ્યને ન શોભે એવી હલકી થઈ પડી છે.

વાસ્તવિક રીતે મનુષ્યમાં વિવેકબુદ્ધિ હોવાથી તેનામાં પશુના કરતાં વધારે ત્યાગશક્તિ ને સંયમ હોવાં જોઈએ. છતાં પશુ નરમાદાની મર્યાદાનો પ્રકૃતિનો જેટલો કાયદો પાળે છે એટલો મનુષ્ય નથી પાળતો, એ આપણે રોજ અનુભવીએ છીએ. શાસ્ત્રો તો પોકારીને કહે છે કે વિષયભોગ કેવળ પ્રજોત્પત્તિને માટે જ કરાય. આ આજ્ઞાનું ઉલ્લંઘન પ્રતિક્ષણ કરવામાં આવે છે, અને રોગો થાય ત્યારે એનાં બીજાં કારણો શોધવામાં આવે છે ! વિવાહ એક મિત્રતા છે. સ્ત્રીપુરુષ સુખદુ:ખનાં સાથી બને છે, પણ વિવાહ થયા એટલે પહેલી જ રાત્રે દંપતિએ ભોગમાં આળોટીને જિંદગી બરબાદ કરવાનો પાયો ન ખોદવો જોઈએ.

[3] કામ કેમ જિતાય ?

વિકારને જીતવાનો પ્રયત્ન કરનાર એક વાચકે મને લખ્યું કે : ‘આપની ‘સત્યના પ્રયોગો’ વાંચી. આપે કોઈ પણ બાબત છૂપી રાખી નથી તેથી હું પણ આપની આગળ કંઈ છૂપું રાખવા માંગતો નથી. આપની ‘નીતિનાશને માર્ગે’ ચોપડી પણ વાંચી, તેથી વિષયોને જીતવાનું ખાસ કારણ મળ્યું. પરંતુ આ વિષયવાસના એવી ખરાબ છે કે સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામકૃષ્ણ પરમહંસના ગ્રંથો વાંચવાનું ચાલુ હોય ત્યારે કાબૂમાં રહે છે પરંતુ જેવું વાંચન બંધ થયું કે પાછું એ ભૂત મન પર સવાર થઈ જાય છે. આંખ, નાક, કાન કે જિહ્વાને તો જીતી શકાય પણ એ સિવાયની જે ઈન્દ્રિય છે એ તો કાબૂમાં જ નથી રહેતી. હું સાત્વિક આહાર રાખું છું, એક વખત જમું છું, રાત્રે દૂધ પર જ રહું છું છતાં કોણ જાણે કેમ આ વિકારો અને એના વિચારો કેમેય કર્યા નાબૂદ થતા નથી. એનું કારણ મને સમજાતું નથી. મને આપના ‘નવજીવન’ અખબાર દ્વારા જવાબ આપશો. ઘણા વખતથી આપને પૂછવામાં સંકોચ થતો હતો, પરંતુ આપના આત્મવૃત્તાંતની ચોપડી વાંચ્યા પછી લાગ્યું કે સદમાર્ગે જવામાં જે મુશ્કેલીઓ જણાય તે પૂછવામાં શરમ ન રાખવી જોઈએ.’

મેં એ ભાઈને લખ્યું : ‘જે સ્થિતિ આપની છે તે ઘણાઓની છે. કામને જીતવો મુશ્કેલ છે, અશક્ય નથી. પણ જે કામને જીતે છે એ સંસારને જીતે છે અને તરે છે એવો ઈશ્વરનો કોલ છે. આ બાબતમાં ધીરજની જરૂર છે. અભ્યાસમાં જેટલી ધીરજની જરૂર હોય એના કરતાં અનેકગણી ધીરજની જરૂર આ બાબતમાં છે. આ તો થઈ ધીરજની વાત. પણ કામને જીતવાના ઉપચાર વિષે પણ આપણે એટલા જ ઉદાસીન રહીએ છીએ. સામાન્ય રોગને મટાડવા માટે અનેક ડૉક્ટરો પાસે જઈએ છીએ પરંતુ આ કામરૂપી મહારોગ માટે આપણે કોઈ ઉપચાર કરતા નથી. હકીકતે તો આપણને આ વિકારો મટાડવાની ખરા દિલથી ઈચ્છા જ નથી. શિથિલતાને આપણે સ્વીકારી લીધી છે. એ વાત સાચી છે કે નિરાહારી વ્યક્તિના વિકારો શમે છે પરંતુ અંતે તો આત્મદર્શન વિના આસક્તિ જતી નથી. પણ તેથી કંઈ નિરાહાર રહેતાં થાકવું નહીં. મન, વચન અને કાયાનો સહયોગ હોવો જોઈએ. એ હોય તો વિકારો શાંત થાય જ. પણ નિરાહારના પહેલાં બીજાં પગલાં ઘણાં બાકી છે. એ લેવાતાં વિકારો શાંત નહીં થાય તો ઢીલા તો પડશે જ. ભોગવિલાસના પ્રસંગમાત્રનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રત્યે અભાવ કેળવવો જોઈએ. એવા ચિત્રો અને સાહિત્યથી દૂર રહેવું જોઈએ જે આપણામાં રહેલી આ વૃત્તિઓને ઉત્તેજે. જે જે વસ્તુથી વિકાર ઉત્પન્ન થાય તેનો ત્યાગ કરવો જોઈએ.

આહારનો પ્રશ્ન આને અંગે બહુ વિચારવા જેવો છે. એ ક્ષેત્ર અણખેડાયેલું છે. મારી માન્યતા એવી છે કે વિકારોને શાંત કરવા ઈચ્છનારે ઘીદૂધનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ફળો અને ઘણી લીલોતરી વગરરાંધેલી ખાઈ શકાય. મીઠાઈમસાલા વગેરેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આટલું સૂચવ્યાં છતાં હું જાણું છું કે, ખોરાકથી જ કંઈ બ્રહ્મચર્યની પૂરી રક્ષા થઈ શકતી નથી. પણ વિકારોત્તેજક ખોરાકને ખાતાં છતાં માણસ જો બ્રહ્મચર્યના પાલનની આશા રાખે તો એ વ્યર્થ છે.

[4] વ્યક્તિસ્વાતંત્ર્યની દલીલ

બ્રહ્મચર્યનો તાત્કાલિક લાભ યુવાનો વધારે જોઈ શકશે. સ્મૃતિ સ્થિર અને સંગ્રાહક બને છે, બુદ્ધિ તેજસ્વી અને ફલવતી બને છે. સંકલ્પશક્તિ બળવાન બને છે અને તેના ચારિત્ર્યમાં એવો રણકાર આવી જાય છે જેવો ભોગવિલાસમાં જીવનારના સ્વપ્નમાંયે ન હોય. એની દષ્ટિ જ એવી પલટાઈ જાય છે કે પોતાની આસપાસની વસ્તુઓ પણ તેને ઈશ્વરરૂપ ભાસે છે. સંયમિત જીવન જીવનાર યુવકના આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતાયુક્ત આત્મશ્રદ્ધા ક્યાં અને વિષયોના દાસ બનેલા વ્યક્તિના અશાંતિ અને ઉન્માદ ક્યાં ? ભોગોના વિચારોમાં ડૂબેલો માનવી આંતરિક રીતે નબળો પડતો જાય છે. ક્યાં બ્રહ્મચારીનું સુદ્રઢ નિરોગી શરીર અને ક્યાં સ્વેચ્છાચારીનું સડેલું, રોગધામ શરીર !

એક સમાજશાસ્ત્રના વિદ્વાન આ બાબતે એમ કહે છે : ‘સમાજજીવન જ એવી અખંડ-સજીવ-વસ્તુ છે જેમાં સ્વતંત્ર અને વ્યક્તિગત કહેવાય એવી એકે પ્રવૃત્તિ નથી. ગમે તે કાર્ય કરીએ તેનો પડઘો અજાણી અને અકલ્પ્ય દિશાઓમાં ફેલાય છે. મનુષ્યના મનુષ્યત્વમાં જ તેનું સામાજિક હોવાપણું રહેલું છે. એકેય એવું ક્ષેત્ર નથી – ધર્મ, રાજ્ય, સમાજ – કે જેમાં વ્યક્તિના કાર્યની અસર આખા સમાજ પર પડતી ન હોય. માણસના દરેક કાર્યની અસર આખા સમાજ પર પડતી હોય છે, પછી ભલે ને એ કાર્ય ગમે એટલું ગુપ્ત કેમ ન હોય. જો માણસને અમુક સંજોગોમાં રસ્તા પર થૂંકવાની છૂટ ન હોય તો તેને તેના વીર્યને જ્યાં ત્યાં વાપરવાની છૂટ શી રીતે હોઈ શકે ? એ કાર્ય જેટલું મહત્વનું છે તેટલી જ સમષ્ટિના ઉપર એની વધારે અસર પડે છે. એક યુવક અને યુવતી ભલે ને એમ માને કે એક ઓરડામાં ભરાઈને તેઓ મોજમજા માટે જે કૃત્ય કરે તેની સાથે જગતનો કશો સંબંધ નથી; એમ માનવું એ નાદાની છે. દેશ-દેશ પ્રજા-પ્રજાને માનવતાનું અખંડ તત્વ એવી રીતે બાંધી લે છે કે ગમે તેટલું ગુપ્ત કાર્ય ગમે તેવી અભેદ્ય દીવાલોને ભેદીને અને ગમે તેવી વિશાળ સીમાઓને ઓળંગીને બહાર નીકળશે. ગર્ભાધાન અટકાવવાનો અને વિષયભોગને ખાતર જ પોતાના વીર્યનો ઉપયોગ કરવાનો હક પ્રતિપાદન કરનાર યુવાન ઈચ્છાએ કે અનિચ્છાએ સમાજમાં અવ્યવસ્થા અને કુસંપનાં બીજ વેરે છે. મનુષ્ય પોતાના કૃત્યની જવાબદારીમાંથી ખસી નહીં જાય એ વાત ઉપર જ આખું સમાજનું મંડાણ મંડાયેલું છે. તે માણસ પોતાની જવાબદારીમાંથી નીકળી જઈને સમાજની વ્યવસ્થાને છિન્નભિન્ન કરે છે, અને સમાજનો ચોર બને છે.’

[5] ઉપસંહાર

મિ.હેર નામના વ્યક્તિએ આ બાબતો વિશે ઘણી સુંદર વાતો લખી છે. તેઓ કહે છે કે : ‘નિરંકુશ વિષયાસક્તિથી કેટલું ભયંકર નુકશાન થાય છે એ આપણે વિચારવાનો વિષય છે. પ્રજોત્પતિનું વેર મરણમાં વળે છે. વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે – પુરુષની ભોગની ક્રિયામાં અને સ્ત્રીઓમાં સંતતિપ્રસુતિની ક્રિયામાં. સંયમિત જીવન જીવનાર માણસ વીર્યવાન, પ્રાણવાન અને નીરોગી હોય છે. આંતરિક શક્તિનો કેવળ ભોગમાં વ્યય થાય તો ધીમે ધીમે શરીરના અવયવોની શક્તિ ઘટશે અને ધીમે ધીમે શરીરનો નાશ જ થતો જશે.’ આ લેખક સંતતિનિયમનના સાધનોની પણ વિરુદ્ધ છે. તેઓ લખે છે કે : ‘એ સાધનોને પરિણામે પોતાનો સંયમ રાખવાની શક્તિ ઘટશે અને વિવાહિત જીવનમાં બુઢાપાની અશક્તિ આવે અને વિષયેચ્છા બંધ થાય ત્યાં સુધી ભોગોને તૃપ્ત કરવાનું ચાલુ રખાય છે. લગ્નની બહાર પણ એની દુષ્ટ અસરો તો પહોંચ્યા વિના રહેવાની નથી જ – એનાથી અનિયમિત અને નિરંકુશ વ્યભિચારોનું દ્વાર ઉઘડે છે અને આવા વ્યભિચાર તો આધુનિક ઉદ્યોગ, સમાજશાસ્ત્ર અને રાજકાજની દષ્ટિએ અતિશય ભયંકર છે. એટલું જ કહેવું બસ થશે કે ગર્ભનિરોધક ઉપાયો લગ્ન બાદ અતિશય સંભોગ અને અવિવાહિત દશામાં વ્યભિચાર સહેલો કરી મૂકે છે અને મારી શરીરશાસ્ત્રની ઉપરની દલીલો સાચી હોય તો તેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને પારાવાર હાનિ રહેલી છે.’

મૉ. બ્યૂરો પોતાના પુસ્તકને જે વાક્યથી ઉપસંહાર કરે છે તે દરેક યુવકે પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવું છે : ‘ભાવી સંયમી અને સતપ્રતિષ્ઠિત પ્રજાઓને જ હાથ છે.
[કુલ પાન : 109. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-14 તેમજ અન્ય તમામ ગાંધીસાહિત્યના પુસ્તક વેચાણકેન્દ્રો પરથી પ્રાપ્ય.]

You can read the same post from:
http://www.readgujarati.com/2010/01/20/niti-nash/

Read more...

વિદુરનીતિનો જન્મ

રાતોરાત ફેરફાર કરી નાખી, પાછી લોકમતની ગર્વિષ્ઠ મિથ્યા વાતો કરનારાઓની ઘણી ઘણી વાત કહી જાય છે, વિદુરનીતિની જન્મકથા. એ જન્મકથા આવી છે :

ધૃતરાષ્ટ્રને લાગ્યું કે બાર વર્ષના વનવાસને અંતે હવે પ્રગટ થઈને પાંડવો પોતાની વાત રજૂ કરવાના છે ત્યારે એમને મનાવવા માટે એમની પાસે મોકલ્યા. ધૃતરાષ્ટ્રે એમને કહેવરાવ્યું કે, ગમે તેમ તોય તમે પાંડુને કુંતિ જેવાના પુત્ર છો. તમારી પાસે તમારી સજ્જનતા છે. તમારું પરાક્રમ પણ તમારું જ છે. તમે આવતી કાલે ગમે ત્યાં રાજ જમાવી શકશો. દુર્યોધન અત્યંત હઠાગ્રહી છે. કોઈનુંય કહ્યું માને તેવો નથી. આવે સમયે જે સમજે તે સહે, એ એક જ રસ્તો છે – ધૃતરાષ્ટ્રનો આ સંદેશો સંજયે પાંડવોને કહ્યો. પણ પોતાની વાત ન્યાયની હોવા છતાં, સામો માણસ માને તેમ નથી માટે વાત છોડી દેવી એ સજ્જનતા ગણાય કે નિર્માલ્યતા એની ગડભાંગમાં પાંડવો પડી ગયા.


છેવટે યુધિષ્ઠિરે બધાની વતી જવાબ વાળ્યો : ‘સામ, દામ, ભેદ અને દંડ એ ચાર રસ્તા ન્યાયના છે. અમારે દામથી ન્યાય લેવો નથી. ભેદ જોઈતો નથી. સામથી માત્ર ન્યાયનું હોય તેટલું જ લેવું છે. પણ જ્યારે સામ કામ આપતો નથી ત્યારે જે દંડ લેતો નથી તે અન્યાયીને વધારે અન્યાયી અને જોહુકમીમાં માનનારો બનાવે છે. અને છેવટે એક દિવસ તો એને દંડ હાથમાં લેવો જ પડે છે. માટે તમે જઈને કહેજો કે પાંડવો સમાધાનમાં માને છે. પણ ન્યાયને ભોગે, સત્યને એક તરફ રાખીને, સમાધાન કરનારો માત્ર મૂર્ખ નથી, દુર્જન પણ છે; કારણ કે, એ દુર્જનતાને ઉત્તેજન આપે છે. પૈસા આપીને લૂંટારાને પાછો હાંકનારો જેમ મૂર્ખાઈની પરિસીમા બતાવે છે તેવી જ આ વાત છે. એટલે સમાધાન સૌથી પ્રથમ એમના દ્વારા જ કરવું છે. પણ એમ ન થાય તો પાંડવો દંડનીતિ ગ્રહણ કરવાના છે એ પણ નિશ્ચિત છે.’

આ સંદેશો લઈને સંજય ધૃતરાષ્ટ્રની પાસે ગયો. પણ એ હસ્તિનાપુર પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. એણે વિચાર કર્યો કે અત્યારે રાજાને સંદેશો આપવા જતાં અર્થનો અનર્થ થશે. એક તો એની ઊંઘ ઊડી જશે. બીજું, કદાચ દુર્યોધનને અત્યારે જ બોલાવશે. એમાંથી તો વાત વધારે હઠે ચડશે. એટલે એને સવારે સંદેશો આપવો વધારે યોગ્ય છે. બે પક્ષ વચ્ચે જે સંદેશા-વ્યવહાર ચલાવે છે તેણે હંમેશાં સમયની વધારેમાં વધારે માવજત કરવાની હોય છે. એકનો એક સંદેશો સવારે આપો ને રાત્રે આપો એમાં હાથી-ઘોડાનો ફેર છે. જો કે પાંડવોએ તો તત્કાલ સંદેશો આપવાનું કહ્યું છે, પણ મારી ફરજ છે કે સંદેશો સવારે આપવો. તે ધૃતરાષ્ટ્ર પાસે ગયો ત્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું :
‘સંજય, શું સંદેશો છે ? પાંડવો માનશે કે નહિ ? કે પછી સર્વનાશનો પંથ હશે ?’
‘મહારાજ ! પાંડવોએ સંદેશો આપ્યો છે, પણ એ સંદેશો સવારે આપવા જેવો છે !’
‘અશુભ છે ?’
‘ના, અશુભ પણ નથી…. ને શુભ પણ નથી. બેમાંથી એ શું થશે – તેનો આધાર આપણા ઉપર છે.’
‘તો પછી કહેવામાં શો વાંધો છે ?’
‘મહારાજ ! સંદેશાનેય પોતાનો સમય હોય છે. હું તમને સવારે કહીશ.’

આટલું કહીને સંજય તો ઘેર ગયો. પણ એણે કોઈ સંદેશો ન કહ્યો; એટલે રાજા ધૃતરાષ્ટ્રનું મન ઉલટાનું ચગડોળે ચડ્યું. એને થયું કે આ વાતનો શું મર્મ છે તે વિદુર કહી શકશે. એટલે વિદુરજીને બોલાવ્યા. વિદુરજી સંજયની વાતને તરત સમજી ગયા. ભાવિ મહાન યુદ્ધની આગાહી એ સંદેશામાં એમણે જોઈ લીધી. પણ હવે પોતાનું એક કર્તવ્ય બનતું હતું. જ્યારે પોતે સમજી શક્યા છે કે યુદ્ધ આવી રહ્યું છે ત્યારે એમણે ધૃતરાષ્ટ્રને છેલ્લેછેલ્લો ઉપદેશ આપી દેવાનો ધર્મ બજાવવાનો હતો. કોઈ સમજે કે ન સમજે, માને કે ન માને, એમની પાસે જે હતું તે એમણે આપવું જ રહ્યું. એ વખતે રાતને સમયે ધૃતરાષ્ટ્રને વિદુરજીએ શાંત રીતે ન્યાય અને સત્યની વાતનો ઉપદેશ આપ્યો. તમામ સંબંધો કરતાં સત્ય વધુ બળવાન છે એ વાત કહી. પુત્રપ્રેમ પણ સત્યની આડે આવે ત્યારે એ પુત્રપ્રેમ નથી એવી જે અદ્દભુત વાણી કહી – તે વાણી એ જ વિદુરનીતિ.

વિદુરનીતિનો જન્મ આ પ્રમાણે પુત્રમોહમાં પડેલા માણસને સત્ય આપવા માટે થયો હતો; હઠાગ્રહીને સત્ય સમજાવવા માટે થયો હતો. હઠાગ્રહ એ સત્યાગ્રહ નથી કે ન્યાય નથી, સત્ય નથી કે બળ પણ નથી એ બતાવવા માટે થયો હતો. હઠાગ્રહ એ હઠાગ્રહ છે. એ દુર્જનતા છે. એ હઠાગ્રહને રાજનીતિમાં જે પોષે છે કે વશ થાય છે તે છેવટે પ્રજાનો જ નાશ નોતરે છે.
source :http://www.readgujarati.com

Read more...

Friday, January 8, 2010

Keep the spark - PartII

However, there are four storms in life that will threaten to completely put out the flame. These must be guarded against. These are disappointment, frustration, unfairness and loneliness of purpose.
These are disappointment, frustration, unfairness and loneliness of purpose.
Disappointment will come when your effort does not give you the expected return. If things don't go as planned or if you face failure. Failure is extremely difficult to handle, but those that do come out stronger. What did this failure teach me? is the question you will need to ask. You will feel miserable. You will want to quit, like I wanted to when nine publishers rejected my first book.

Some IITians kill themselves over low grades – how silly is that? But that is how much failure can hurt you. But it's life. If challenges could always be overcome, they would cease to be a challenge. And remember - if you are failing at something, that means you are at your limit or potential. And that's where you want to be.
Disappointment's cousin is frustration, the second storm. Have you ever been frustrated? It happens when things are stuck. This is especially relevant in India. From traffic jams to getting that job you deserve, sometimes things take so long that you don't know if you chose the right goal. After books, I set the goal of writing for Bollywood, as I thought they needed writers. I am called extremely lucky, but it took me five years to get close to a release. Frustration saps excitement, and turns your initial energy into something negative, making you a bitter person. How did I deal with it? A realistic assessment of the time involved – movies take a long time to make even though they are watched quickly, seeking a certain enjoyment in the process rather than the end result – at least I was learning how to write scripts, having a side plan – I had my third book to write and even something as simple as pleasurable distractions in your life - friends, food, travel can help you overcome it. Remember, nothing is to be taken seriously. Frustration is a sign somewhere, you took it too seriously.
Unfairness - this is hardest to deal with, but unfortunately that is how our country works. People with connections, rich dads, beautiful faces, pedigree find it easier to make it – not just in Bollywood, but everywhere. And sometimes it is just plain luck. There are so few opportunities in India, so many stars need to be aligned for you to make it happen. Merit and hard work is not always linked to achievement in the short term, but the long term correlation is high, and ultimately things do work out. But realize, there will be some people luckier than you. In fact, to have an opportunity to go to college and understand this speech in English means you are pretty damm lucky by Indian standards. Let's be grateful for what we have and get the strength to accept what we don't. I have so much love from my readers that other writers cannot even imagine it. However, I don't get literary praise. It's ok. I don't look like Aishwarya Rai, but I have two boys who I think are more beautiful than her. It's ok. Don't let unfairness kill your spark.
Finally, the last point that can kill your spark is isolation. As you grow older you will realize you are unique. When you are little, all kids want Ice cream and Spiderman. As you grow older to college, you still are a lot like your friends. But ten years later and you realize you are unique. What you want, what you believe in, what makes you feel, may be different from even the people closest to you. This can create conflict as your goals may not match with others. . And you may drop some of them. Basketball captains in college invariably stop playing basketball by the time they have their second child. They give up something that meant so much to them. They do it for their family. But in doing that, the spark dies. Never, ever make that compromise. Love yourself first, and then others.
There you go. I've told you the four thunderstorms - disappointment, frustration, unfairness and isolation. You cannot avoid them, as like the monsoon they will come into your life at regular intervals. You just need to keep the raincoat handy to not let the spark die.
I welcome you again to the most wonderful years of your life. If someone gave me the choice to go back in time, I will surely choose college. But I also hope that ten years later as well, your eyes will shine the same way as they do today. That you will Keep the Spark alive, not only through college, but through the next 2,500 weekends. And I hope not just you, but my whole country will keep that spark alive, as we really need it now more than any moment in history. And there is something cool about saying - I come from the land of a billion sparks.
Thank You!

Read more...

Tuesday, December 8, 2009

Keep the Spark - Part I

- Chaten Bhagat
Inaugural Speech for the new batch at the Symbiosis BBA program 2008

Good Morning everyone and thank you for giving me this chance to speak to you. This day is about you. You, who have come to this college, leaving the comfort of your homes (or in some cases discomfort), to become something in your life. I am sure you are excited. There are few days in human life when one is truly elated. The first day in college is one of them. When you were getting ready today, you felt a tingling in your stomach. What would the auditorium be like, what would the teachers be like, who are my new classmates – there is so much to be curious about. I call this excitement, the spark within you that makes you feel truly alive today. Today I am going to talk about keeping the spark shining. Or to put it another way, how to be happy most, if not all the time.

Where do these sparks start? I think we are born with them. My 3-year old twin boys have a million sparks. A little Spiderman toy can make them jump on the bed. They get thrills from creaky swings in the park. A story from daddy gets them excited. They do a daily countdown for birthday party – several months in advance – just for the day they will cut their own birthday cake.


I see students like you, and I still see some sparks. But when I see older people, the spark is difficult to find. That means as we age, the spark fades. People whose spark has faded too much are dull, dejected, aimless and bitter. Remember Kareena in the first half of Jab We Met vs the second half? That is what happens when the spark is lost. So how to save the spark?

Imagine the spark to be a lamp’s flame. The first aspect is nurturing – to give your spark the fuel, continuously. The second is to guard against storms.
To nurture, always have goals. It is human nature to strive, improve and achieve full potential. In fact, that is success. It is what is possible for you. It isn't any external measure – a certain cost to company pay package, a particular car or house.
Most of us are from middle class families. To us, having material landmarks is success and rightly so. When you have grown up where money constraints force everyday choices, financial freedom is a big achievement.

 But it isn’t the purpose of life. If that was the case, Mr Ambani would not show up for work. Shah Rukh Khan would stay at home and not dance anymore. Steve Jobs won’t be working hard to make a better iPhone, as he sold Pixar for billions

They do it because it makes them happy. They do it because it makes them feel alive. Just getting better from current levels feels good. If you study hard, you can improve your rank. If you make an effort to interact with people, you will do better in interviews. If you practice, your cricket will get better. You may also know that you cannot become Tendulkar, yet. But you can get to the next level. Striving for that next level is important.
Nature designed with a random set of genes and circumstances in which we were born. To be happy, we have to accept it and make the most of nature’s design. Are you? Goals will help you do that.

I must add, don’t just have career or academic goals. Set goals to give you a balanced, successful life. I use the word balanced before successful. Balanced means ensuring your health, relationships, mental peace are all in good order.

There is no point of getting a promotion on the day of your breakup. There is no fun in driving a car if your back hurts. Shopping is not enjoyable if your mind is full of tensions.
You must have read some quotes – Life is a tough race, it is a marathon or whatever. No, from what I have seen so far, life is one of those races in nursery school. Where you have to run with a marble in a spoon kept in your mouth. If the marble falls, there is no point coming first. Same with life, where health and relationships are the marble. Your striving is only worth it if there is harmony in your life. Else, you may achieve the success, but this spark, this feeling of being excited and alive, will start to die.

 One last thing about nurturing the spark – don’t take life seriously. One of my yoga teachers used to make students laugh during classes. One student asked him if these jokes would take away something from the yoga practice. The teacher said – don’t be serious, be sincere. This quote has defined my work ever since. Whether its my writing, my job, my relationships or any of my goals. I get thousands of opinions on my writing everyday. There is heaps of praise, there is intense criticism. If I take it all seriously, how will I write? Or rather, how will I live? Life is not to be taken seriously, as we are really temporary here. We are like a pre-paid card with limited validity. If we are lucky, we may last another 50 years. And 50 years is just 2,500 weekends. Do we really need to get so worked up? It’s ok, bunk a few classes, goof up a few interviews, fall in love. We are people, not programmed devices.

I’ve told you three things – reasonable goals, balance and not taking it too seriously that will nurture the spark. However, there are four storms in life that will threaten to completely put out the flame. These must be guarded against. These are disappointment, frustration, unfairness and loneliness of purpose.

stay tuned for partII :)

Read more...

Tuesday, December 1, 2009

Purpose of Life

An educated girl, especially when she is a good human being, and visionary with god gifted women emotions, always can find purpose of life, not for her self, but for other people also and can contribute to society in a real sense.

Dr. Neha Vakharia:
She has a fragile body, an anxious body language, agitated voice. If you look at this small bundle of energy, you won’t believe what she has done in and with her life.
First and foremost, she is an M.B.B.S. doctor. She had joined Oasis when she was a student and she says that Oasis added important values of humanity and selfless services in her training as a doctor.

Right from beginning, in every Oasis camp and gathering, like many other youths, she used to share her dreams of serving the poor of India and other third world countries. Mother Theresa was her ideal. But unlike many others, her passion to serve was so authentic that it only grew with time. After completing her studies, equipped by the lofty idealism of making life more meaningful by service to humanity, she joined a private hospital at Vadodara. But she felt some guilt pinching, the biting of conscience-that she was not doing the right thing by serving the rich when poor people were so under privileged.
As part of some “crazy” experiments facilitated by Oasis, she went to stay in slums for about 1 to 2 months to experience their living conditions. The experience in her words, “This exposure brought me closer to the reality of millions of underprivileged people of our country. They would share from whatever was in their home even if they were not sure about where the next meal would come from. I was astonished to see the greatness of their heart despite their poverty and felt ashamed of the poverty of my heart. While staying amongst them, I also witnessed the amount of physical abuse, mental torture, hard life, ill health, humiliation etc a poor Indian woman has to undergo. At the same time I felt proud of them as I could see them as tough warriors balancing between being a mother, loyal wife and most hard working, earning member of families.”
Of course, Neha left her job. It was adieu for life time. After getting married, she had to shift to Bangalore where she promptly started health service centers in the slums around her area. While working there for years in a dedicated way, she realized that people were visiting her centers again and again with the same illnesses. She also observed that many patients suffered from severe liver or lung diseases leading to early death. All these experiences compelled her to introspect. She had to find out some solutions and interventions at an early, tender age. Thus Oasis, ASHA – Adolescent Students’ Health Alternative- was born.
The help from volunteers slowly brought out another component of this activity viz. involvement of Women/housewives for educating these underprivileged slum children. Today, Neha and her core team of extremely talented and dedicated women friends are teaching health classes as a year round supplementary course to hundreds of students in municipality schools. “ASHA of Oasis” has spread to Surat in Gujarat and is dreaming to reach more and more children in different cities in the coming years.
Was all this easy? The answer is obvious - serious illness, fragile health, social pressures for traditional career, and with all human weaknesses, she did this. How? With her sense of gratitude for everything, with her unflinching passion-come what may-, and her dedication that’s so overpowering, life had to bow to her.
What gives her so much of strength? Swami Vivekananda’s philosophy has been life long inspiration for Neha- “It is only with great fortune and immense grace of God that you have got the opportunity to serve the ignorant, diseased and suffering humanity. If you dedicate yourself completely in a selfless way, you realize the unlimited power within you.”
Neha says, “I have no regret whatsoever about leaving the conventional career and serving poor people like this. I never cared for earning and being wealthy. Having millions of rupees in my account, has no comparison with what I have got today in my heart. I have a definite, important role to play through Oasis Movement, I have been able to recognize my mission and for that I feel very happy, very grateful to Oasis and God.”

Imagine a few more such educated youths emulating Neha’s example in future. Imagine them working for educating billions of children of our country. Thank you Neha for living your dream!
From OASIS Blog: http://www.oasiswebsite.com/asha/index.php

Read more...